Skip to main content

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

  Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિ

શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ : ડૉ.વર્ષાબહેન પટેલ.

  

દીકરા કાવ્ય સાથે ડૉ. વર્ષાબેન પટેલ

દક્ષિણ ગુજરાતમાં ધરમપુર એટલે આદિવાસી વિસ્તાર. વર્ષોથી વિકાસ, પ્રગતિ, ઉત્કર્ષની પ્રતિક્ષા કરતો પંથક. પ્રકૃતિ મન મૂકીને અહીં વરસી છે. લીલોતરીને હરિયાળી જોઈને આંખો જ નહીં, હૈયું પણ કરે. જોકે અહીં રહેલાં ભલ-ભોળાં સ્ત્રી-પુરુષોની સ્થિતિ ચિંતા ને ચિંતન કરાવે. નિયતિ કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાનું મન થાય કે તું ગરીબો સાથે કેમ ક્રૂરતાથી વર્તે છે?

આવી વિકટ, પડકારોથી ભરેલી સ્થિતિમાંથ કેટલીક આદિવાસી યુવતીઓ પોતાના જીવનની એવી સરસ ગૂંથણી કરે કે સલામ મારવાનું મન થાય.

એવાં જ છે એક વર્ષાબહેન પટેલ.

વર્ષાબહેન પટેલ શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ,

ધરમપુરના માલનપાડાની મોડેલ સ્કૂલમાં તેઓ આચાર્યા તરીકે ફરજ બજાવે છે. તેમનું જીવન જેટલું પ્રેરક છે, તેટલું જ રસપ્રદ છે. આદિવાસી સમાજની એક છોકરી ભણવામાં તેજસ્વી અને ગંભીર હોય તો કેવું સુંદર પરિણામ લાવે તે તેમના જીવન અને કવનમાંથી જોવા મળે.

તેમનું વતન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું ભીનાર નામનું નાનકડું ગામ. માતા લલિતાબહેન અને પિતા બાલુભાઈ. પિતાને સાઇકલનું સમારકામ કરવાની દુકાન. સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતો પરિવાર. માતા ગૃહિણી તેમને ત્રણ સંતાનો. વર્ષાબહેનનાં મોટાં બહેન ચંદનબહેન પણ અંગ્રેજી વિષય સાથે એમ.એ.બી.એડ. કરીને શિક્ષિકા બન્યાં. ભૂપેશભાઈ એલઆઇસી ડેવલપમેન્ટ ઓફિસર બન્યા. આ કથાના નાયિકા વર્ષાબહેન નાનાં હતાં ત્યારથી જ ભણવામાં તેજસ્વી હતાં. તેમણે દસમા ધોરણ સુધીનું શિક્ષણ પોતાના ગામમાં જ મેળવ્યું. ધોરણ ૧૦માં તેઓ ૮૨ ટકા સાથે પાસ થયાં. તેમના કેન્દ્રમાં પહેલો નંબર આવેલાં અને રાજ્યમાં પણ એસટીમાં ત્રીજો નંબર લાવેલાં, શિક્ષકોએ તેમને આગ્રહ કરેલો કે તમે વિજ્ઞાન પ્રવાહ લો અને ડૉક્ટર બનો. માતા-પિતા ચિંતામાં હતાં, કારણ કે દીકરીને આગળ ભણાવવા પૈસા જોઈએ, જે તેમની પાસે નહોતા. નજીકનાં સગા- સંબંધી પણ સહયોગ કરવાને બદલે તેમને ચેતવતાં હતાં કે પછી તમે ભણાવી નહીં શકો તો હેરાન થશો. માતા-પિતાએ નક્કી કર્યું કે દીકરીને ભણાવવી તો છે જ. પિતાએ દીકરીને કહ્યું કે તું ભણવામાં તેજસ્વી છે, ડૉક્ટર કે એન્જિનિયર બની શકે તેમ છે, આપણી પાસે પૈસા નથી તો તું પીટીસી કરી નાખ. દીકરીએ તરત હા પાડી. અને આમેય દીકરીઓ મોટા ભાગે * ડાહી જ હોય છે. માતા-પિતાની સ્થિતિ સમજનારી અને તેમનું કહ્યું કરનારી.

પૂરી ક્ષમતા હોવા છતાં પણ વર્ષાબહેન વિજ્ઞાન પ્રવાહમાં આગળ ના વધી શક્યાં. વ્યારા તાલુકામાં આવેલા કસ્તુરભા અધ્યાપન મંદિરમાંથી તેમણે ૧૯૯૭માં પીટીસી પૂર્ણ કર્યું. તેમને સતત ભણવાનું ગમે છે. બહારના વિદ્યાર્થી તરીકે તેમણે ધોરણ ૧૨ની પરીક્ષા આપી અને તેમાં રાજ્યમાં એસટીમાં પ્રથમ નંબરે આવ્યાં હતાં. ભણાવતાં ભણાવતાં ભણ્યાં તો પણ રાજ્યમાં ઝળક્યાં. સરસ્વતીમાતાનાં સાચાં સાધક અને ઉપાસક.

તેમના પિતા બાલુભાઈ એ દિવસોને યાદ કરતાં કહે છે કે અમે નક્કી કર્યું હતું કે ત્રણેય સંતાનોને ગમે તેમ કરીને ભણાવવાં જ છે. કોઈ સહયોગ કરે કે ના કરે, પણ અમે મક્કમ હતાં. વર્ષાને તો ખૂબ ભણવું હતું. એ ડૉક્ટર બની શકત, પણ એ શક્ય ના બન્યું. આજે તે શિક્ષિકા છે. અમારું નામ તેણે રોશન કર્યું છે. અનેક લોકોનાં ભાવિ તેણે સુધાર્યા છે તેનું અમને ગૌરવ છે. એ ઉચ્ચ સંસ્કારો સાથે જીવન જીવે છે. પોતાના પરિવારના સભ્યોના જન્મદિવસે અંગત રીતે ૧૦૦૦-૨૦૦૦ રૂપિયા ખર્ચવાને બદલે ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરે છે. આ જાણીને મને હરખનાં આંસુ આવે છે. માતા લલિતાબહેન પણ આ વાતોમાં પોતાનો સૂર પુરાવે છે. વર્ષાબહેન કહે છે કે અમને ત્રણેય સંતાનોને ભણાવવામાં માતા-પિતાએ ખૂબ જ ભોગ આપ્યો છે. અમારી ખૂબ કાળજી રાખી. પેટે પાટા બાંધીને અમને ભણાવ્યાં. પોતે હેરાન-પરેશાન થયાં પણ અમને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખ્યું. હું તો શિક્ષિત મા બની, પણ મારાં માતાની ભૂમિકા યાદ કરું તો થાય કે મેં તો કશું જ નથી કર્યું. એક સન્માન વખતે મારા બૃહદ પરિવારનું સન્માન થયું ત્યારે મને થોડો પરિતોષ થયો કારણ કે મારી યોગ્યતામાં તેમનું જ મોટું પ્રદાન.

વર્ષાબહેનના ઘરની સ્થિતિ મધ્યમ. તેમણે ભણતાં ભણતાં ઘરનું, ખેતીનું બધું કામ કર્યું. ખેતીનું દરેક કામ આજે પણ આવડે. કોઈ કામમાં નાનમ નહીં. આજુબાજુમાં મગફળી વીણવા જવાનું, નર્સરીમાં કામ કરી શાળાની જરૂરી વસ્તુ જાતે કમાઈ લેવાનો આનંદ પણ તેમણે લીધો હતો.

જાન્યુઆરી, ૧૯૯૮માં વર્ષાબહેનને શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ. તેમણે અંગ્રેજી વિષય સાથે એમ.એ. કર્યું. એ પછી તો બી.એડ. અને એમ.એડ. પણ કર્યું. પ્રાથમિક શિક્ષક તરીકે તેમણે લગભગ ૧૨- ૧૩ વર્ષ કામ કર્યું. એ પછી વલસાડના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં તેઓ અંગ્રેજી વિષયનાં વ્યાખ્યાતાં થયાં. દરમિયાન તેમણે જીપીએસસીની વર્ગ-બેની પરીક્ષા

પાસ કરી. સારી રીતે હોં. લો, ત્યારે વર્ષાબહેન ગેઝેટેડ ઓફિસર બની ગયાં.

અત્યારે તેઓ માલનપાડામાં આવેલી મોડેલ સ્કૂલમાં આચાર્યા તરીકે યશસ્વી રીતે અને વિદ્યાર્થીઓ માટેની પાકી પ્રીતે કામ કરી રહ્યાં છે. લગભગ ત્રણ દાયકાથી તેઓ શિક્ષક અને આચાર્યા તરીકે ફરજ નિષ્ઠ છે.

તેઓ નમ્રતા સાથે કહે છે કે મારી આ યાત્રામાં માતા-પિતા, શિક્ષકો, મોટાંબહેન, ખાસ મારા જીજાજી વિનયભાઈ પટેલના પ્રોત્સાહન અને હૂંફનો મોટો ફાળો છે. વર્ષાબહેનના જીજાજી બેન્ક ઓફિસર છે. વર્ષાબહેન હૃદયથી શિક્ષિકા છે. તેમના હાથ નીચે-હૃદય સાથે ત્રણેક દાયકામાં અત્યાર સુધી ૪૦૦૦- ૫૦૦૦ વિદ્યાર્થીઓ ભણ્યા છે. કોકિલાબહેન ભીખુભાઈ વ્યાસનાં આ વિદ્યાર્થીની પોતાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં રસ લે, એટલું જ નહીં, તેમના વ્યક્તિગત પ્રશ્નોને ઉકેલવામાં પણ મદદ કરે. આર્થિક લાભોને જતા કરીને પણ વર્ષાબહેને વર્ગને પકડી રાખ્યો છે. તેઓ કહે છે કે વિદ્યાર્થીઓને ભણાવવામાં મને જે સંતોષ મળે છે તે બીજે કર્યાય મળતો નથી. તેઓ ઉમેરે છે કે શિક્ષક તરીકે હું જ્યારે વર્ગમાં જાઉં છું ત્યારે મને ખૂબ સારું લાગે છે. મારા વિદ્યાર્થીઓનો મને જે પ્રેમ મળે છે એ મને સતત કામ કરતી રાખે છે. ગુરુપૂર્ણિમાએ પૂર્વ વિદ્યાર્થીઓના આવતા ફોન મને સંતોષ આપે છે. કોઈ વિદ્યાર્થી ભણી-ગણીને આખા પરિવારનો ઉત્કર્ષ કરવામાં સફળ થાય ત્યારે મને થાય કે જે વાવ્યું હતું તે ઊગી રહ્યું છે.

વર્ષાબહેન ઘણા વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ વિશે તેઓ સોશિયલ મિડીયામાં લખતાં રહ્યાં છે. જરૂરિયાતમંદોને તેઓ પહેલાં જાતે મદદ કરે અને પછી સમાજ પાસેથી પણ કરાવે.

ધરમપુર જેવા વિસ્તારામાં આદિવાસી માતા- પિતાઓને શિક્ષણ માટે તૈયાર કરવાં, પૈસાના અભાવે શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખવી, વ્યસનો-દૂષણોના વાતાવરણમાં વિદ્યાનું વાતાવરણ સ્થાયી કરવું, સ્ત્રીઓ માટેની રૂઢિગત માન્યતાઓને અતિક્રમીને કામ કરવું... આ બધા એવા કોઠા કે જેને ભેદવા સહેજે સહેલા નથી. જોકે વર્ષાબહેનના હૃદયમાં પોતાનાં ભાઈ-બહેનો માટે, આદિવાસીઓના ઉત્કર્ષ માટે હૃદયમાં એવી આગ છે, કે તેઓ થાક્યા વિના સતત કામ કર્યા જ કરે છે. તેઓ કહે છે કે મને એમ લાગે છે કે મારો જન્મ

કંઈક વિશેષ કરવા થયો છે. તેઓ નાનાં હતાં ત્યારે ગંભીર બીમાર પડેલાં જીવશે તેવું લાગતું જ નહોતું. બચી ગયાં. એક વખત રોડ અકસ્માતમાં અડધો કિ.મી. ઢસડાયાં બચી ગયાં. કદાચ ઈશ્વર તેમની પાસે કોઈ મોટું કામ કરાવવા ઈચ્છે છે.

તેમની વાતમાં તથ્ય છે. એટલે તો નિયંતિએ તેમને શિક્ષિકા બનાવ્યાં, જેથી લોકશિક્ષક બનીને તેઓ આ વિસ્તારનો કાયાકલ્પ કરી શકે.

વર્ષાબહેનના જીવનના ઘણા બધા રંગ છે. એક રંગ છે તેમના જીવનસાથી મોહનભાઈ પટેલના સહયોગનો. તેઓ પરણ્યાં પછી તો બે બાળકો (કાવ્યા અને જન)નાં માતા પણ બન્યાં, પરંતુ તેમના પતિએ વર્ષાબહેનને આગ્રહપૂર્વક ખૂબ ભણાવ્યાં. વર્ષાબહેન કહે છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ મારી બાબતમાં ઊંધું થયું છે. મારી સફળતા પાછળ મારા પતિનો હાથ છે. મોહનભાઈ પટેલ કહે છે કે હું બહુ ભણી ન શક્યો અને વર્ષા ભણી શકે એમ હતાં એટલે મને થયું કે મારે તેમને ભણાવવાં જ જોઈએ. મને ખૂબ આનંદ છે કે તેઓ આટલું ભણ્યાં અને સમાજ માટે સરસ કામ કરી રહ્યાં છે. તેઓ એમ પણ કહે છે કે જ્યારે જ્યારે જીવનમાં તક મળે તે ઝડપી જ લેવી જોઈએ. તેમને ભણાવવા માટેની તક મને મળી તો મેં તેને ઝડપી લીધી.

પીટીસી કરીને શિક્ષક બની ગયા પછી વ્યક્તિ મોટાભાગે અટકી જાય. નોકરી મળી ગઈ હવે ભણીને શું કરવાનું તેમ વિચારે, પણ વર્ષાબહેન તો છેક પીએચ.ડી. સુધી પહોંચ્યાં. ‘ગુજરાતમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોનું કન્યા કેળવણીમાં પ્રદાન' એ વિષય પર તેમણે ડૉ. કિશોર નાયકના માર્ગદર્શનમાં સંશોધન કરીને મહાનિબંધ લખ્યો છે. જો તેમનું પુસ્તક થાય તો ગુજરાતના કેળવણી વિશ્વને તેનો ફાયદો થાય.

અમે પૂછીએ છીએ કે ધરમપુર વિસ્તારમાં આદિવાસી સમુદાયમાં કયા પ્રશ્નો છે ? તો તેઓ કહે છે કે કુપોષણ, ગરીબી, વ્યસનો, બેરોજગારી સહિત ઘણા પ્રશ્નો છે. આ વિસ્તારમાં વિકાસનો દર ઘણો નીચો છે અને પરિવર્તનો ખૂબ ધીમાં થઈ રહ્યાં છે. તેઓ દૃઢતાથી કહે છે કે જો ઉત્કર્ષ કરવો હશે તો શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. તેઓ કહે છે કે યુવાનો વ્યસનો તરફ વધી રહ્યા છે, મોબાઈલ ફોન સૌથી મોટું અને જોખમી વ્યસન બની ગયું છે.મોબાઇલ ફોનને કારણે જનરેશન ગેપ ઘણો વધી ગયો હોવાથી માતા-પિતા અને યુવાનો અને બાળકો વચ્ચે સંવાદ જ નથી થતો. ખાસ કરીને બાળકો અને યુવાનો પોતાના જીવન અને જીવનના ધ્યેય માટે ગંભીર નથી. આ મોટામાં મોટો પ્રશ્ન છે. તેઓ કહે છે કે આ વિસ્તારનાં માતા-પિતા અને બાળકો-યુવાનોમાં કાઉન્સિલિંગની ખૂબ જરૂર છે. વર્ષાબહેન પોતે ખૂબ ગંભીરતાથી વર્ષોથી આ પ્રકારનું કઉન્સેલિંગ કરતાં જ રહ્યા છે.

વર્ષાબહેનને લખવાનું ગમે છે. સમય ઓછો મળે છે એટલે ખાસ લખાતું નથી, પણ કવિતાઓ, ચર્ચાપત્રો, નિબંધો આ બધાંમાં હાથ અજમાવતાં રહે છે. હું ધરમપુર છું. તેમનું આ કાવ્ય ખૂબ જાણીતું થયું છે. તેમને સંગીતનો પણ શોખ છે. શાળા- કૉલેજકાળમાં તો તેમને ઘણાં ઈનામો પણ મળ્યાં હતાં. તેઓ ઉત્તમ વક્તા છે. અભિવ્યક્તિ કરવાનું ગમે. ઍન્કરિંગ પણ કરે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. ચિત્રકામ કરે છે. પ્રકૃતિ ખૂબ ગમે છે. પર્યાવરણના જતન અને સંવર્ધન માટે સતત સક્રિય રહે છે. તેઓ પ્રતિબદ્ધ અને આદર્શ શિક્ષિકા તો છે જ, પણ સફળ માતા છે. પોતાના બે પુત્રોનો તેમણે સારી રીતે ઉછેર કર્યો છે. તેના માટે પૂરો અને ગુણવત્તાવાળો સમય આપ્યો છે.

વર્ષાબહેન અને મોહનભાઈએ પ્રારંભમાં સંઘર્ષનો વિકટ સમય હતો ત્યારે પણ પારિવારિક જવાબદારી અદા કરી છે. વર્ષાબહેન કહે છે કે ઓછી આવક હતી ત્યારે સંઘર્ષ કરવો પડતો હતો. અમે ક્યારેય અમારી જવાબદારીમાંથી પીછેહઠ કરી નથી. દરેક જવાબદારી તે અદા કરી છે એનો આનંદ અને સંતોષ છે.

તેઓ પોતાની આવકમાંથી સમાજને પણ આપતાં રહે છે. વર્ષાબહેન પરિવારના સભ્યોના જન્મદિવસે કેક કાપતાં નથી, જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને જન્મદિવસ ઊજવે. હવે તો તેમનાં બાળકો સામેથી આ રીતે-પ્રીતે જન્મદિવસ ઊજવવા આગ્રહ કરે છે. તેમના મોટા દીકરાનો જન્મદિવસ આવ્યો. છાત્રાલયમાં રહીને ભણતા દીકરાએ વર્ષાબહેનને ફોન કરીને કહ્યું 

 યોગ્ય રીતે ઉજવણી કરજો અને માતાપિતાએ તેના જન્મદિવસે પુસ્તકાલયમાં પુસ્તકો ભેટમાં આપ્યા.

વર્ષા બી. પટેલ

૪૧, ફ્લાવર સિટી રેસિડેન્સી, મું.પો, ખારવેલ, તા. ધરમપુર, જિ. વલસાડ, પિનકોડ- ૩૯૬૦૫૦ 

લેખ ક્રેડિટ : લેખક /પત્રકાર, રમેશ તન્ના  અમદાવાદ


Comments

Popular posts from this blog

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.   જ્યારે શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા છે. નવસારીન

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

        Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ  સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ. ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નોકરી મળી છે તે સમ

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

          આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (MLE) તાલીમ કાર્યક્રમમાં ધોડિયા બોલીના તજજ્ઞ તરી