વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમ...
ચીખલી તાલુકાનાં રુમલા પ્રધાનપાડાનાં તૃપ્તિ પટેલ દ્વારા સાસુમાની પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
ચીખલી તાલુકાનાં રુમલા પ્રધાનપાડાનાં તૃપ્તિ પટેલ દ્વારા સાસુમાની પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
રુમલા પ્રધાનપાડાનાં વતની અને હાલ પાટણ ખાતે રહેતા તૃપ્તિબેન દિનેશચંદ્ર પટેલ દ્વારા સ્વ. સાસુમા વનિતાબેન વલ્લભભાઈ પટેલની 9 મી પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
જેમાં ધોરણ -૭માં અભ્યાસ કરતી દિકરી દિવ્યતીબેન ગણેશભાઈ પટેલ, ઘોડથલ પટેલ ફળિયાનાં રહેવાસી અને ધોરણ -૫ માં અભ્યાસ હેનિલકુમાર ગણેશભાઈ પટેલ (પિતા હયાત નથી) વિદ્યાર્થીઓને નોટબુક તથા સ્કૂલબેગનું વિતરણ કરી તેમના માતૃશ્રીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આદિવાસી સમાજને નિઃસ્વાર્થ મદદકર્તાની તાતી જરૂરિયાત છે. આ લેખ પાછળનો મુખ્ય હેતુ આપણી આજુબાજુમાં રહેતા અનાથ,ગરીબ બાળકો માટે આપણે તૃપ્તીબહેનની માફક મદદરૂપ બની શકીએ.
Comments
Post a Comment