વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમ...
મહુવા (વસરાઈ) : બારડોલી મધર કેર હોસ્પિટલના ડૉ. નીતિન પટેલ દ્વારા તંદુરસ્ત જીવન બાબતે વક્તવ્ય યોજાયું.
મહુવા (વસરાઈ) : બારડોલી મધર કેર હોસ્પિટલના ડૉ. નીતિન પટેલ દ્વારા તંદુરસ્ત જીવન બાબતે વક્તવ્ય યોજાયું.
તારીખ :07-07-2 024નાં દિને મહુવા તાલુકાનાં વસરાઇ ધોડિયા સમાજ ભવન ખાતે ડો. નિતિન પટેલ (મધરકેર હોસ્પિટલ બારડોલી) દ્વારા હેલ્ધી લાઈફ (નેચર લાઈફ) અંગેનું રસપ્રદ વકતવ્ય યોજાયું.
જેમાં તેમણે આરોગ્ય વિષયક માર્ગદર્શન તેમજ હાલની ભાગદોડની જિંદગીમાં શરીર બાબતે શું કાળજી રાખવી અને ખોરાક બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જેમાં ગ્રામજનો, આગેવાનો અને શ્રી કમલેશભાઈ શ્રી યોગેશભાઈ, શ્રી ઉમેદભાઈ ,શ્રી ધર્મેશભાઈ, શ્રીમુકેશભાઈ, શ્રીસંજયભાઈ, શ્રીધ્યેય, શ્રી ચિન્તન, શ્રી બકુલભાઈ, શ્રી જિમિલભાઈ, શ્રીતરુણભાઈ. શ્રી અનિલભાઈ વગેરેની ઉપસ્થિતિએ આપણા લોકો તંદુરસ્ત રહે એ આશયે આયોજન થયું હતું.
દિવ્ય ભાસ્કર ન્યૂઝ
Comments
Post a Comment