વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમ...
Navsari|Vansda : રૂપવેલના પી.એન.પટેલ નવસારીના અધિક્ષક ઈજનેર તરીકે નિયુક્ત થયા
જેટકોના કાર્યપાલક ઈજનેર નવસારી પી.એન.પટેલની અધિક્ષક ઇજનેર તરીકે નવસારીમાં બઢતી કરવામાં આવી છે. તેમની આ સફળતા બદલ સમગ્ર આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.
વાંસદા તાલુકાના રૂપવેલ ગામના મૂળ રહેવાસી અને હાલ બીલીમોરા શહેર સ્થિત પંકજભાઈ નગીનભાઈ પટેલ કાર્યપાલક ઈજનેર (બાંધકામ) નવસારી વિભાગીય કચેરીમાં ડિસેમ્બર ૨૦૧૫થી અમરેલીથી વિનંતી બદલી લઈ પોતાના વતન ખાતે હાજર થયા હતા અને ચાર્જ સંભાળ્યો હતો. તેમના સહકર્મી મિત્રના જણાવ્યા પ્રમાણે તેમણે સતત મહેનત કરીને આદિવાસી વિસ્તાર, શહેરી વિસ્તારને ઔદ્યોગિક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ૧૦૦થી વધુ સબ સ્ટેશન ખૂબ જ ટૂંકા સમયમાં કાર્યરત કર્યા છે. જેણે દક્ષિણ ગુજરાતના વિકાસમાં ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે.
Comments
Post a Comment